Thursday 19 December 2019

જેવા સાથે તેવા

દુનિયામાં રહેલ કોઈ એક   માણસ બીજા ની દ્રષ્ટિ એ સારો કે ખરાબ હોઇ શકે છે.કોણ કોના માટે કેવું હશે એ નક્કી કરી શકાતું નથી.
કહ્યું છે કે ટૂંડે ટૂંડે મતિ ભિનાં એટલે કે દરેક માણસ ની બુધ્ધિ જુદી જુદી હોય છે. કોઈ એક માણસ એક માટે સારો તો બીજા માણસ માટે  ખરાબ પણ હોય છે.જીવનમાં આપણે કેવા છીએ એ જ જોવું જોઈએ બીજા ની દ્રષ્ટિ થી જિંદગી જીવશો તો થાકી અને કંટાળી જશો.આપણે હંમેશા આપણાં થી ખોટું ન થાય તેનું જ ધ્યાન રાખવું જોઈએ.લોકોની વાતો સાંભળો પણ, તેને ગાળીને આપણા માટે યોગ્ય હોય એજ જીવન માં ઉતારવી જોઈએ.
આમ તો દરેક વ્યક્તિ માટે આપણે સારું જ કાર્ય કરીએ છીએ પરંતુ જો સામે વાળા માણસોને તેમની કદર ન હોય તથા તમારા ઉપર વિશ્વાસ ન હોય તેવા વ્યક્તિ સાથે તમારે પણ 'જેવા સાથે તેવા'કહેવત મુજબ વર્તન કરું જોઇએ.
આપણે હંમેશા બધું મનમાં લઈને ફરીએ છીએ કે હું સામે વાળને આ વાત કહીશ તો કેવું લાગશે તો યાદ રાખોકે સામે વાળા માણસ હંમેશા પોતાનો સ્વાર્થ જોતો હોય છે એને તમારા ફીલિંગ્સ ની પડી હોતી નથી .જો તમે વાત કહો અને એના માટે યોગ્ય નહિ હોય તો એને ખોટું લાગશે અને એના ફાયદા મા હોય એજ વાત એને ગમશે.
એટલે હંમેશા કાર્ય કરતા પહેલા એજ વિચારવું કે કોઈનું ખોટું નથી થતું ને કારણ ભગવાન હંમેશા સારા કર્મ નું ફળ પણ દસગણું કરીને આપશે જ્યારે ખરાબ કર્મ નું ફળ પણ દસ ઘણું કરીને જ આપે છે.

1 comment:

  1. Columbia Titanium Bars - Titsanium Arts
    Columbia Titanium Bars: "Titsanium bars are crafted for head titanium tennis racket the best of the There are suunto 9 baro titanium many titanium nitride coating service near me varieties titanium phone case of bar-style cocktails, and the mens wedding bands titanium main

    ReplyDelete