સમય સાથે તો બધાને ચાલવું જ પડે છે,
સુખ દુઃખ માંથી સૌએ પસાર થવું પડે છે
જિંદગી કેવી છે નહી જે મળે છે એના થી વધારે મેળવવાની લાલસા મા ક્યાંય કિનારો જ મળતો નથી.
જેને જોઈને આપણને એવુ થાયકે આ તો બહુ સુખી માણસ છે પરંતુ એ સુખી માણસને ખબરજ નથી હોતી કે હું બીજા કરતા કેટલો સુખી છું એને તો પોતાનું દુઃખ જ દેખાતું હોય છે.આ દુનિયા માં હું માનું ત્યાં સુધી કોઈ સુખી પણ નથી કે કોઈ દુઃખી પણ નથી.કારણ બસ દુઃખ અને સુખ એ આપણાં મન ની સમસ્યા છે.જો આપણને ગમતી પરિસ્થિતિ સર્જાય તો તેને આપણે સુખ કહીએ છીએ અને આપણને યોગ્ય ના હોય એવી પરિસ્થિતિ સર્જાય તો એને આપણે દુઃખ કહીએ છીએ.
દરેક ક્ષેત્રમાં ઉતાર ચડાવ તો રહેવાના પરંતુ યોગ્ય દિશામાં કાર્ય કરવું એજ સાચું ધન છે અને મન ઉપર અંકુશ રાખવો એજ આપડા દુઃખ મા સાથ આપનારું હથિયાર છે.
આપડા દુઃખ ક્યારેય કોઈને વેચી શકતા નથી અને ક્યારેય.કોઈનું સુખ કોઈ પણ કિંમત માં ખરીદી શકાતું નથી.
સુખ હોય તોજ દુઃખનો અહેસાસ સમજાય છે અને દુઃખ હોય તોજ સુખની કદર થાય છે.
Be the fact..
No comments:
Post a Comment