Friday, 14 December 2018

કર્મની મહાનતા

 છોટી બાતેં ના એક વર્ષ પૂર્ણ થયા પછી કૈક નવું નામ રાખવાનો વિચાર આવ્યો પણ મન મારુ માનવા તૈયાર નહોતું. તમારા બધા ના અભિપ્રાયો પણ મારા મન સાથે મળ્યા એટલે આખરે એવો નિર્ણય કર્યોકે આપણે છોટી બાતેં થકી જ મળીશું કારણ કોઈને છોડીને આગળ વધવું એ યોગ્ય નથી.
આજથી છોટી બાતેં A સિરીઝ ચાલુ કરીશું.આપના આશીર્વાદ સદાય મારી સાથે રહે એવી આશા સહ...

કરેલું કર્મ ક્યારેય ફોગટ જતું નથી એવું હમેશા આપણે આપણા વડીલોના મુખે સાંભળતા હોઈએ છીએ.આની સમજ એક વાર્તા થકી સમજીએ.

એક ગામ હતું.ગામ માં એક વૈદ્ય રહે.વૈદ્ય એક નાની દુકાનમાં પોતાનું દવાખાનું ચલાવતા હતા.તેમને એક નાની દીકરી અને પત્ની એજ એમનું નાનું કુટુંબ સુખી કુટુંબ.

વૈધ નો એક નિયમ કે પોતાના પરિવારનું એક દિવસનું ગુજરાન ચાલે એટલે સુધીજ દર્દીની ફી લેવી પછી કોઈ પણ દર્દી આવે ચાહે અમિર કે ગરીબ પણ એમની ફી લેવી નહિ.આ નિયમ તેઓ વર્ષોથી પાળતા હતા.એક દિવસની વાત છે સાંજ પડી ગઈ હતી કોઈ એક માણસ એમના દવાખાને આવ્યો અને કહેવા લાગયોકે મારી કારને તમારા દવાખાનાની નજીકમાં જ પંચર પડ્યું છે તો જ્યાં સુધી પંચર ના થાય ત્યાં સુધી તમારા દવાખાના મા મને આશ્રય આપવા વિનંતી છે.વૈધે આ સાંભળી એમને બેસવાની ખુરશી આપી.
હવે રાત થવા આવી હતી , વૈદ્યની નાની દીકરી ઘરે જવા માટે ઉતાવળ કરતી હતી પરંતુ વૈધતો વારે વારે પેલા માણસને પૂછતાકે તમારે કોઈ તકલીફ હોય તો કહો પરંતુ પેલો માણસ હમેશા ના જ પાડતો. થોડીવાર રહી ફરીથી વૈધે પેલા માણસને કહ્યું કઈ તકલીફ હોય તો કહો હું તમને દવા આપુ, વૈધનો આટલો આગ્રહ જોઈ પેલા માણસે કહ્યું મારે કોઈ સંતાન નથી .વૈધે આ સાંભળી તરતજ એક પેકેટ ના દવા ભરી ને પેલા માણસને આપી.એટલા  મા માણસની ગાડી તૈયાર થઈ ગઈ અને એ દવા લઈને જતો રહ્યો.
આ વાતને વર્ષો વીતી ગયા.પરંતુ વૈધનો નીયમતો ચાલુજ હતો કે રોજ સવારે એમની પત્ની એક. દિવસ  ગુજરાન ચાલે એટલી વસ્તુનું લિસ્ટ આપતી અને વૈધ એ વસ્તુઓ આવી જાય એટલી કમાણી પછી કોઈ પણ દર્દી પાસેથી ફિ લેતા નહિ.
એક દિવસની વાત છે હવે વૈદ્ય ની દિકરિ મોટી થઈ ગઈ હતી.એના લગ્ન પણ નજીકમાં હતા એવામાં રોજની જેમ વૈદ્ય ને એમની પત્ની એ દવાખાને જતા પહેલા એક લિસ્ટ આપ્યું.વૈધે એ લિસ્ટ દવાખાને જઈને જોયું તો રોજના ગુજરાનના સામાનને સાથે છેલ્લી લીટી માં દીકરીના લગ્નનો સામાન લાવવાનો લખ્યો હતો. વૈધે વિચાર્યું એક દિવસમાં લગ્નનો સામાન આવે એટલા કેટલા દર્દીઓ આવશે. એટલામાં એક માણસ આવ્યો એમને કહ્યું વૈદ્યજી તમે મને ઓળખો છો.વૈદ્યજીએ કહ્યું ના ભાઈ...માણસે કહ્યું હું પેલો માણસ જે તમારા ત્યાં આશ્રય માંગી થોડો સમય રોકાયો હતો અને તમે મને બાળક થાય તેવી દવા આપી હતી.વૈદ્યજીને યાદ આવ્યું,હા ભાઈ... બોલો આજે સુ તકલીફ છે?સેની દવા લેવી છે? ત્યારે  પેલા માણસે કહ્યું આજે હું દવા લેવા નહિ તમારો આભાર માનવા આવ્યો છુ ,તમારી દવા થી આજે મારા ઘરે એક પુત્ર અને પુત્રી છે.હું પુત્રીના લગ્નની ખરીદી કરવા આવ્યો હતો ત્યારે મને તમારી દીકરી યાદ આવી જે તમને ઘરે જવા કહેતી હતિ અને તમે મારી મદદ માટે દવાખાને જ બેસી રહ્યા હતા.હું મારા દીકરીનો લગ્નનો સામાન ખરીડતો હતો ત્યારે મારા મનમાં તમારી દિકરીજ આવતી હતી એટલે મેં જેટલું મારી દીકરી માટે લીધું એટલું જ તમારી દીકરી માટે ખરીધ્યું છે.
આ સાંભળીને વૈધે પોતાની પત્નીને આપેલી ચીઠ્ઠી ખોલે છે અને એ જોઈને ભગવાનનો આભાર માને છે.
કરેલા કર્મોનું ફળ આજ નહિ તો કાલે જરૂર મળે છે.જો તમે આંબો વાવશો તો કેરી મળશે અને જો તમે બાવળ વાવશો તો કાંટા જ મળવાના છે.

1 comment: