Monday, 1 October 2018

જીવતે જી શ્રાદ્ધીયું

આપડે ઘણી વાર સાંભળ્યું છે કે "આજે મારા માતાજીકે  પિતાજીની જીવતચર્યા છે તો તમે પધારજો." આ સાંભળતાજ આપણને થાય કે જીવતચર્યા એટલે શું?
તો જીવતચર્યા એટલે મૃતક પાછળ તેમના વંશજો જે કાંઈ ઉત્તર ક્રિયા કરે એ જો જીવતે જીવ પોતે જ કરી લે, તેને “જીવત ચર્યા” કહે છે.
ઘણા છોકરાઓ કહેતા હોય છે કે અમે તો અમારા માતા પિતા ને જીવતા જ જીવતચર્યા કરી દીધી.આ સાંભળીને મને એવો પ્રશ્ન થાય કે શું જીવતચર્યા ની જેમ જીવતે શ્રાધીયુ  ના કરી શકીએ?
બધા પોતાના દાદા,દાદી,માતા,પિતા વગેરેની પુણ્યતિથિ ના દિવસે આ ભાદરવા માસમાં  દૂધપાક અને પુરી જમે છે.ઘણા લોકો એવા હોય છે કે જેમને જીવતે માં બાપને પાણી પણ પાયું નથી અને હવે મર્યા પછી એમના શ્રાદ્ધ ની તિથિ એ મોટા મોટા જમણવાર કરતા હોય છે.
કેટલાક લોકો તો કહે છે કે અમે એમની સેવા માટે દર મહિને પૈસા તો આપીએ છીએ,તો... ભાઈ... પૈસા બધે ન ચાલે જાતે પોતાના મા બાપ ને રાખીને સેવા કરો તો જ સાચું.
ઘણા કહે છે મારા માતા પિતા અમારી સાથે રહેતા જ નથી એમને તો ન ફાવે અહીંયા .. તો વિચારજો તમે ક્યાંક જાવ તો તમને ક્યારે નથી ફાવતું?એવો કેવો વ્યવહાર તમારી સાથે થતો હોય કે તમને નથી ફાવતું.
જીવતા જીવ મા બાપ ને પ્યાલો દૂધ પણ પીવરાવી ના શકનારા એમના મૃત્યુ પછી એમના શ્રાદ્ધમાં દૂધની રેલમછેલ કરતા હોય છે.મારા મતે લોકોને ખવરાવતા પહેલા આપણે આપણા મા બાપ તો ભૂખ્યા નથી રહેતાને એ એક વાર જોઈ લેવું જોઈએ.

તો મિત્રો આપણે પણ આપડા મા બાપ ને જીવતેજ રોજ  શ્રાધીયુ કરવાઇએ જેથી તેમને એક ગ્લાસ દૂધ માટે પણ તરસવું ના પડે.મા બાપને જીવતે જ ખવડાવેલી દૂધ અને પુરી એ આપણા માટે જીવતેજ શ્રાધીયુ છે.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

1 comment: