નાનું બાળક એ માટી ના સ્વરૂપ જેવુ હોય છે.જેમ કુંભાર માટી માંથી કુંજો,માટલું ઘડો,તવી એમ માટીને જુદા જુદા આકારમાં ઢાળે છે એમ બાળકને પણ આપણે શિક્ષક,પાયલોટ,એન્જીનીયર,ડોકટર વગેરે બનાવી શકીએ છીએ.આ બનાવવા માટે પાયાની ઈટ છે ઉપચારાત્મક કાર્ય.જો બાળક ને લખતા વાંચતા,ગણતા આવડસે તો જ બાળક આગળના ધોરણનો અભ્યાસ સારો શીખી શકશે.આમ ઉપચારાત્મક કાર્ય દ્વારા આપણે બાળકોને લખતા,વાંચતા અને ગાણિતિક પ્રક્રિયાઓ શીખવી શકીએ છીએ.આ માટે જ મિશન વિદ્યા છે.
ખરેખર મિશન વિદ્યા એટલે જે પ્રિય બાળકો છે એને ઉપચારાત્મક કાર્ય દ્વારા વાંચન ,ગણન અને લેખન માં જે કચાશ છે તે પુરી કરવાનો એક સોનેરી અવસર.આખી જિંદગી એ પ્રિય બાળકો ને મનોમન ખુશી મળશે કે મને વાંચતા,લખતા અને ગણતા આવડી ગયું.
‘મિશન વિદ્યા’ એ પ્રિય બાળકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યુ છે.મિશન વિદ્યા થી પ્રિય બાળકો તો ખુશજ છે પણ સાથે સાથે તેમના વાલી પણ ખુશ છે.વાલી ને પણ ખબર પડવા લાગી છે કે મારું બાળક અત્યાર સુધી વાંચન,લેખન કે ગણન માં નબળું હતું તે હવે શીખી રહ્યું છે.
મિશન વિદ્યા અંતર્ગત મેં ગણન ને લગતી એક રમત રમાડી જે રમવાની પ્રિય બાળકોને ખુબજ મજા આવી.બાળકોને રમતા રમતા સરવાળા કરવાની ખુબજ મજા આવી.સાથે સાથે બાળકો એ જાતે પાસા બનાવવાની અને બોક્સ માં અંકો લખવાની પણ મજા માણી.વળી બોક્સમાં અંકો લખવાથી બાળકો સંખ્યા જ્ઞાન પણ શીખી શક્યા.આપ આ રમત નીચેની લિંક પર જોઈ શકો છો.
રમતનું નામ -પગલાં
સામગ્રી: બે પાસા,1 થી જ્યાં સુધી અંક શીખવવા હોય ત્યાં સુધીની સંખ્યા.
No comments:
Post a Comment