શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવ ની આરાધનાનો મહિનો.શ્રાવણ માસ એટલે પાપ માંથી મુક્તિ મેળવવાનો અનેરો અવસર.આવા પવિત્ર શ્રાવણ માસ માં ભગવાન ભોળા નાથની ભક્તિ કરવાથી બધા દુઃખ દૂર થાય છે.વળી કહેવાય છે કે ભગવાન શિવને શ્રાવણ માસનો સોમવાર સૌથી પ્રિય હોય છે.
મહેસાણા વિસનગરા નાગર બ્રાહ્મણ પરિવાર દ્વારા ઘણા વર્ષો થી શ્રાવણ માસના દરેક સોમવારે સમાજ માંથી કોઈ એક સદસ્ય ના ત્યાં શિવ આરાધના કરવામાં આવે છે.આ આરાધના દરમિયાન હાટકેશ સ્તોત્રમ, ભજનો,શિવ ધૂન વગેરે દ્વારા શિવ ભક્તો હળીમળી ને શિવ આરાધના કરે છે.
મને પણ આ શિવ આરાધના ની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો.ગયા સોમવારે અમારાં મહેસાણા નાગર સમાજ ના પ્રમુખ ઉમાકાન્તભાઈ એસ. રાવલ ના ઘરે શિવ આરાધના હતી જેમાં નાગર સભ્યોએ હાટકેશ્વર દાદા ની ભક્તિ રૂપી ગંગામાં ડૂબકી લગાવી હતી.એ સમયે મને પણ ભજન ગાવાની ઈચ્છા થઈ પણ મારી પાસે હાટકેશ્વર દાદા નું કોઈ ભજન નહોતું એટલે મેં ત્યાં તરત ભજન બનાવ્યું અને ગાયું. આશા છે આપને પણ આ ભજન ગમશે.
હવે આવતા સોમવારે શિવ આરાધના માં ભાગ લેવા માટે પોસ્ટર માં દર્શાવેલ સરનામે હાજર રહી ભક્તિસાગર માં ડૂબકી લગાવવા નો લ્હાવો લેવો.
હર હર મહાદેવ
જય હાટકેશ
#chhoti bate
#chhoti bate
No comments:
Post a Comment