Monday, 13 August 2018

સિકંદરની કહાની

આજે વાત છે મહાન સિકંદરની.
સિકંદર  મૃત્યુ પામ્યો ત્યારે તેને જોવા મહેલની બહાર લોકો ટોળે વળેલા હતા.એની અર્થી જ્યારે મહેલની બહાર આવી ત્યારે તે જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.લોકો અર્થી જોઈ અંદરોઅંદર વાતચીત કરવા લાગ્યા.લોકોએ અર્થીમા જોયુકે સિકંદરના બંને હાથ ખુલ્લા હતા.આમતો કોઈ માણસ મરી જાય ત્યારે તેનું એકપણ અંગ ના દેખાય તેમ તેની આસપાસ   કપડું વીંટાળવામાં આવે છે જ્યારે સિકંદર ના બંને હાથ બહાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા આ જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.બધાને એકજ પ્રશ્ન હતોકે અર્થી માં કોઈ ભૂલ થઈ હતી કે આમ સિકંદરના હાથ લટકતા છે?
સાંજ પડતા પડતા લોકોને ખબર પડીકે સિકન્દરે જ કહ્યું હતું કે મારા હાથ અર્થી માંથી બહાર રાખજો કારણ લોકો એ જોઈ શકે કે મારા હાથ પણ ખાલી છે.આમ તો બધાના હાથ ખાલીજ હોય છે પણ જેને આપણે મહાન સિકંદર સમજીએ છીએ એના હાથ પણ ખાલી જ છે.
જેને દુનિયાને જીતવી હતી,જેને બધુજ પોતાના હાથમાં લેવું હતું એવા મહાન સિકંદરના હાથ પણ મૃત્યુ બાદ ખાલીજ હતા,એ દુનિયા જોઈ લે.

ભિખારી એકલા જ ખાલી હાથે મરે છે એવું નથી સમ્રાટ પણ ખાલી હાથે જ મરે છે.જીવનમાં યશ અને ધન ગમે તેટલું મેળવી લો પણ છેલ્લે તો ખાલી હાથે જ મરવાનું છે.
જો માણસની જિંદગી માં સંતોષ નહિ હોય તો એનું જીવન વ્યર્થ છે.સંતોષી માણસ જ જિંદગીનો આનંદ લૂંટી શકે છે.વધુ મેળવવાની ચાહ, આપણને આપણા ચાહનારા   માણસોથી હમેશા દૂર લઈ જાય છે.

#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:

Post a Comment