જીવન જીવતા જીવતા ઘણા માણસોનો સંપર્ક થાય છે.દરેક વ્યક્તિ પાસેથી કૈક નવું જાણવા અને શીખવા મળે છે.આપણ ને મળતા બધા માણસો ,જો આપડા સાથે સારો વ્યવહાર કરેકે ખરાબ પણ એ આપણને કૈક સારું જ શીખવી ને જતા હોય છે.
ઘણા માણસો માટે તમે પોતાનું સર્વશ્વ અર્પણ કરો તો પણ એ તમને સમજી નથી શકતા અને ઘણીવાર કોઈક તમારા માટે સર્વશ્વ અર્પણ કરે તો તમે એને સમજી નથી શકતા.આ વાત જેને સમજાય એના માટે જ છે.
આપણા જીવનમાં આવનાર ઘણી વ્યક્તિ એવી હોય છે જે આપણી ખુશી માટે હાર માની લે છે જ્યારે ઘણી વ્યક્તિ એવી પણ મળે છે કે એ એમના પોતાના સ્વાર્થ માટે તમને છોડી ને અથવાતો તરછોડી ને પણ જતી રહે છે.
પણ હમેશા એવી વ્યક્તિ સાથે જીવવું જેને તમારી કદર હોય જે તમારા માટે આજીવન તમારા માટે સારું જ વિચારતી હોય,જે તમારી જીત માટે પોતે હાર માની લેતી હોય.આવી વ્યક્તિને તમારાથી ક્યારેય દૂર ના કરશો.
પ્રશ્ન એ વાતનો છેકે આવી વ્યક્તિને ઓળખવી કેવી રીતે? તો આવી વ્યક્તિઓ સમય જતાં આપોઆપ સામેં આવે છે.એટલે કે સમય જ સાચી વ્યક્તિની ઓળખ કરાવે છે.
સમય અને અનુભવ જ આપણને હંમેશા સાચો માર્ગ બતાવે છે
#છોટી બાતેં
#chhoti vaate
#छोटी बातें
સરસ
ReplyDelete