Friday, 3 August 2018

એક શીખ

સમય બદલાયો છે જ્યાં પાણીની પરબો બનતી હતી ત્યાં હવે પાણી પણ પાઉચમાં વેચાય છે.જ્યાં માણસો ભોળા સમજી માણસને મદદ કરતા હતા ત્યાં ભોળો માણસ જ લૂંટી જાય છે.આ દુનિયામાં ક્યાં અને કોની પર વિશ્વાસ કરવો?

પહેલા માતાપિતા બાળકોને સલાહ આપતા જ્યારે આજકાલ બાળકો તેમના માતાપિતાને સલાહ આપે છે.પહેલા માતાપિતા આજ્ઞા કરે એટલે બાળકો માની લેતા પણ હવે માતાપિતા બાળકોને આજ્ઞા કરે એ બાળક તોજ માને છે જ્યારે માતાપિતા ખુદ પોતે એ આજ્ઞાનું પાલન કરતા હોય.
બાળક ને હવે કોઈ પણ સલાહ આપો તે પહેલાં આપડે તેને અનુસરવું પડશે.ગાંધીજીએ કહ્યું હતું એમ કે કાલે આવજે પછી હું  કહીશ કે ગોળ ના ખાતા ...એ પ્રસંગતો યાદ હસેજ.એવીજ રીતે મારો અનુભવ હું આપની સાથે સેર કરું છું.
મેં અને તેના પિતા એ મારા પુત્ર નિષ્ક ને કહ્યું કે તું બહુજ ટીવી જોવે છે તારી આંખો બગડી જશે.તો એને કીધું મોબાઈલ જોવું?  અમે કીધું ના એના થી આંખો વધારે ખરાબ થાય વળી સુતા સુતા તો મોબાઈલ ના જ જોવાય કારણ તું મોબાઈલ આંખોની ખુબજ નજીક રાખે છે એટલે તારી આંખો ખરાબ થઈ જાય.
આ વાતને બે દિવસ થયા મારા દીકરાએ મારા જેમજ  ‘જે નક્કી કર્યું તે કરવુંજ” એ સિદ્ધાંત સાથે તેને સતત બે દિવસ ટીવી કે મોબાઈલ ના જોયો.કોઈ બીજું ઘરમાં જોવે તો એ એના થી દુર જતો રહેતો પણ એના મનમાં વિચાર આવ્યો કે હું એકલો જ મોબાઈલ નથી જોતો બાકી તો ઘરમાં બધાજ એટલે કે મમ્મી,પાપા,ફોઇ,દાદા,દાદી બધાજ જોવે છે તો એને એક નિયમ બનાવ્યો અને અમે ઘરે આવીએ એ પહેલાં એને અમારા બેડરૂમમાં દીવાલ પર એક સુંદર લાઇન એની ભાષામાં લખી.જે તમે પણ poster માં જોઈ શકો છો.


હમેશા માણસ આપણા પર તોજ વિશ્વાસ કરે જો આપડા બોલવા  પ્રમાણે ના કાર્યો હોય એટલે કે કહેવા અને કરવા માં કોઈ ફેર ના હોય.
#છોટી બાતેં
#chhoti vaate
#छोटी बातें

1 comment: